PDF Name | Nanaji Deshmukh Awas Yojana 2023 Form PDF |
---|---|
Last Updated | October 24, 2023 |
No. of Pages | 3 |
PDF Size | 0.07 MB |
Language | Gujarati |
Category | Application Forms, Scheme Brochures & Guidelines PDF |
Topic / Tag | Application Form PDF, Housing Schemes |
Source(s) / Credits | bocwwb.gujarat.gov.in |

Nanaji Deshmukh Awas Yojana Application Form 2023 is available to download in PDF format from the official website at bocwwb.gujarat.gov.in. Building and Other Construction Workers in the entire Gujarat state can apply for house assistance by filling Nanji Deshmukh Awas Yojana form.
About Nanaji Deshmukh Awas Yojana 2023
ગરીબી રેખાથી ઉપરના બાંધકામ શ્રમિક પરિવારની સલામતી અને સામાજિક સુરક્ષા વધે, તેમનું સ્થળાંતર અટકે કાર્યક્ષમતા વધે અને સેનિટેશન સાથેના પાકા મકાનની સુવિધા પૂરી પાડવાનો. સરકારશ્રીના શ્રમ અને રોજગાર વિભાગ, સચિવાલય, ગાંધીનગરના તા.૦૪/૦૯/૨૦૧૪ ના ઠરાવ ક્રમાંક બજટ/૧૩૨૦૧૪/૪૬૨૯૩૧/મ-૩ થી બાંધકામ શ્રમિકો માટે “શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના” બહાર પાડવામાં આવેલ છે. ઉક્ત યોજના ફક્ત શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા/શહેરી વિકાસ સત્તા મંડળ તથા ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા મુખ્યમંત્રી આવાસ યોજના અન્વયે EWS/LIG મકાન ફાળવવામાં આવેલ હોય તેવા અત્રે બોર્ડમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને કુટુંબદીઠ એકવાર આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
ઉક્ત યોજના અન્વયે બાંધકામ શ્રમિકની અત્રેના બોર્ડમાં નોંધણી થયા બાદ જો નોંધાયેલા બાંધકામ શ્રમિકને ઉક્ત દર્શાવેલ સંસ્થાઓ પૈકીની કોઈ એક સંસ્થામાંથી EWS/LIG યોજના પૈકી મકાન ફાળવણી થયેથી રૂ.૧,૬૦,૦૦૦ ની સહાય લાભાર્થી વતી બોર્ડ દ્વારા જે તે સંસ્થાને હવાલે મુકવામાં આવે છે.
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજના નિયમો
- ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં બાંધકામ શ્રમિક તરીકે નોંધાયેલો હોવો જોઈએ તથા તેઓ પાસે બાંધકામ બોર્ડ તરફથી આપવામાં આવેલું બાંધકામ શ્રમિક તરીકેનું પૂરી વિગતો સાથેનું ઓળખકાર્ડ હોવું જોઇયે.
- અત્રે બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને ગુજરાત હાઉસિંગ બોર્ડ/સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા તથા શહેરી વિકાસ સત્તામંડળ તરફથી EWS/LIG મકાન ફળવાયેલું હોવું જોઈયે.
- બોર્ડની કચેરીમાં નોંધાયેલા બાંધકામ શ્રમિકને પોતાના અથવા તેના કુટુંબ ના કોઈ પણ સભ્યના નામે મકાન ન હોવું જોઇયે. જે નોંધાયેલા બાંધકામ શ્રમિક તથા તેઓના કુટુંબ ના સભ્યના નામે કોઈ પણ મકાન અથવા માલ-મિલકત ન હોય તેવા બાંધકામ શ્રમિકને જ ઉક્ત યોજનાનો લાભ આપવામાં આવે છે.
- બાંધકામ બોર્ડમાં નોંધાયેલો બાંધકામ શ્રમિકને અત્રેની કચેરીમાં નોંધણી કરાયા પહેલા ઉક્ત જણાવેલ કોઈ પણ સંસ્થા પૈકી મકાન ફાળવવામાં આવે તો તેઓને ઉક્ત યોજના હેઠળ સહાય મળવાપાત્ર નથી.
- ઉક્ત પુરાવા તથા સ્થળ તપાસ તથા બાંધકામ શ્રમિકની આર્થિક પરિસ્થિતિ નો તાગ મેળવ્યા બાદ જ અરજદારની મકાન સહાયની અરજી મંજુર કરવામાં આવે છે
શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાનો લાભ મેળવવા માટેનાં દસ્તાવેજી પુરાવા
- લાભાર્થી તરીકેનું ઓળખકાર્ડ/ યુ-વિન કાર્ડ
- મકાનનો ફાળવણી પત્ર
- મકાનનો હપ્તા ભરવા અંગેનો પત્ર
- આઈ ડી પ્રૂફ (આધાર કાર્ડ, ચુંટણી કાર્ડ, તથા રહેઠાણ નો પુરાવો)
- ભાડા કરાર ની નકલ/ભાડાની પહોચ/મકાનમાલિક નો પત્ર
- સ્થાનિક મહાનગરપાલિકાનું ટેક્ષ બીલની નકલ
- એફિડેવિટબે
- પાસપોર્ટ સાઈઝના ફોટા